હાશ!!!!! એક મોટી રાષ્ટ્રીય સમસ્યાનો ઉકેલ આવ્યો, કમસે કમ લોકો બીજી રાષ્ટ્રીય સમસ્યાઓ ( પ્રમાણ માં હળવી) જેમકે ગરીબાઈ, કરપ્શન વગેરે વગેરે પર ધ્યાન આપવાનું શરુ કરશે.
મારા મિત્રોમાં જો કે હું સચિન વિરોધી તરીકે પ્રખ્યાત છું. લોકો એને ભગવાન કહે છે પણ જયારે દેશને જરૂર પડે છે ત્યારે આ ભગવાન અદ્રશ્ય થઇ જાય છે. કાલનોજ દાખલો લઈએ તો તેની સદી છતાં પણ આપને બાંગ્લાદેશ સામે હારી ગયા, એવી સદી શા કામની?
આશ્ચર્ય ત્યારે થાય છે જયારે લોકો સચિન ને અતિશયોક્તિ બનાવે છે. મારા એક મિત્ર એ ફેસબુક પર અપડેટ કર્યું " ન્યુટન અને આઈનસ્તાઈન ફરી વાર પેદા થશે પણ સચિન ફરી પેદા નહિ થાય"
ભઈલા ન્યુટન અને આઈનસ્તાઈનએ આ દુનિયા અને આવનારી પેઢી માટે જે કર્યું છે તેનું લાખ માં ભાગનું પણ સચિને નથી કર્યું.
મારે એકજ વાત કહેવી છે કે સચિન ને માણસ જ રેહવાદો.