બુધવાર, 19 સપ્ટેમ્બર, 2012

ગણપતી બાપ્પા મોર્યા


આજે ગણપતી બાપ્પા વાજતે ગાજતે પધાર્યા 
દર વરસ ની જેમ આવતા દસ દિવસ મુંબઈ માં ઉત્સવ નો માહોલ રહેશે

સોલ્લીડ પંચ :

હે ગણપતી બાપ્પા, આ દેશ ને કોન્ગ્રેસ રાજ માંથી મુક્ત કર  - શિવસેના પ્રમુખ બાળ ઠાકરે 

ગુરુવાર, 13 સપ્ટેમ્બર, 2012

બાકી કુછ બચા તો મહેંગાઈ માર ગઈ

 ડીઝલ ના 5 રૂપિયા વધી ગયા અને LPG ના પરિવાર દીઠ દર વર્ષે ફક્ત 6 સીલીન્ડર ઓછા ભાવે મળશે

કોન્ગ્રેસ નો હાથ આમ આદમીના ગાલ પર, જોરદાર સટાક !!!!!!!!!!!

 

બુધવાર, 12 સપ્ટેમ્બર, 2012

કોલગેટ સ્કેમ

સરકાર કહે છે કોલગેટ સ્કેમ જેવું કશું છેજ નહી, આતો વિરોધ પક્ષો ખોટી બબાલ કરે છે
જો કોલસો ખાણ માંથી કાઢવાનો કોન્ટ્રેક્ટ મફત માં ના આપ્યો હોત તો હજી પણ કોલસો જમીન માંજ હોત કારણકે ખાણમાંથી કાઢવાનો ખર્ચ એટલો બધો છે કે કોઈ કંપની પૈસા આપીને આ  કોન્ટ્રેક્ટ લેતજ નહી

એટલે અમે તો મફત માં કોન્ટ્રેક્ટ આપીને દેશ ની સેવા કરી છે

સોલ્લીડ પંચ :

અંગ્રેજો વિચારતા હશે કે અમે 200 વર્ષ માં જેટલું ભારતમાંથી લુંટ્યું તેના કેટલાય ગણું  65 વર્ષમાં ભારતના નેતાઓએ લુંટ્યું 

ગુરુવાર, 7 જૂન, 2012

સંબંધો અને પૈસા

સંબંધો સાચવવા જોઈએ અને પૈસા વાપરવા જોઈએ.

માણસ  ઉલટૂજ કરે છે 

સંબંધો વાપરે  છે  અને પૈસા સાચવે  છે

શુક્રવાર, 11 મે, 2012

Legend Ramesh Mehta not with us

ગુજરાતી સિનેમા નો એક યુગ આથમી ગયો. વર્ષો સુધી આપણને હસાવનાર રમેશ મેહતાએ દુનિયાના રંગ મંચ પરથી એકસીટ લીઘી.

ગુજરાતી ફિલ્મોમાં હીરો હોય ના હોય પણ રમેશ મેહતા હોવાજ જોઈએ, આવું મજબૂત તેમનું સ્થાન હતું.

સોલ્લીડ પંચ :

" ઓ હો હો હો! કિયા ગામ ના ગોરી?      શું નામ રાયખા છે?"

મંગળવાર, 27 માર્ચ, 2012

Enjoy summer

ઠંડી ની સીઝન પૂરી થઇ અને ઉનાળો શરુ થયો સાથે સાથે કાળઝાળ ગરમી પણ સારું થઇ.

ઉનાળાના અમુક પ્લસ પોઈન્ટ પણ છે.

૧. આફૂસ - આહા!  વિચાર આવતાજ મોઢામાં પાણી આવે છે.
૨. વેકેશન - ભલે આપણને નહિ પણ વિદ્યાર્થીઓને તો ખરું ને . માં ઓ ને એટલા દિવસ શાંતિ કે છોકરાઓને લેશન માટે ઘાંટા નહિ પાડવા પડે કે રોજ સવારે વહેલા ઉઠાડીને તૈયાર કરવાની મગજ મારી નહિ.
૩. ટ્રીપ - મોટે ભાગે તો આપને બધા ઉનાળામાજ ફરવા જઈએ છીએ.
૪. આઈસ્ક્રીમ

બીજા ફાયદા યાદ આવે તો જરૂર જણાવજો.

શનિવાર, 17 માર્ચ, 2012

Finally Sachin scores century

હાશ!!!!! એક મોટી રાષ્ટ્રીય સમસ્યાનો ઉકેલ આવ્યો, કમસે કમ લોકો બીજી રાષ્ટ્રીય સમસ્યાઓ ( પ્રમાણ માં હળવી) જેમકે ગરીબાઈ, કરપ્શન વગેરે વગેરે પર ધ્યાન આપવાનું શરુ કરશે.

મારા મિત્રોમાં જો કે હું સચિન વિરોધી તરીકે પ્રખ્યાત છું. લોકો એને ભગવાન કહે છે પણ જયારે દેશને જરૂર પડે છે ત્યારે આ ભગવાન અદ્રશ્ય થઇ જાય છે. કાલનોજ દાખલો લઈએ તો તેની સદી છતાં પણ આપને બાંગ્લાદેશ સામે હારી ગયા, એવી સદી શા કામની?

આશ્ચર્ય ત્યારે થાય છે જયારે લોકો સચિન ને અતિશયોક્તિ બનાવે છે. મારા એક મિત્ર એ ફેસબુક પર અપડેટ કર્યું " ન્યુટન અને આઈનસ્તાઈન ફરી વાર પેદા થશે પણ સચિન ફરી પેદા નહિ થાય"

ભઈલા ન્યુટન અને આઈનસ્તાઈનએ આ દુનિયા અને આવનારી પેઢી માટે જે કર્યું છે તેનું લાખ માં ભાગનું પણ સચિને નથી કર્યું.

 મારે એકજ વાત કહેવી છે કે સચિન ને માણસ જ રેહવાદો.