શુક્રવાર, 10 ફેબ્રુઆરી, 2012

વચનેશું કીમ દરિદ્રતા?

રાજ્યો અને નગરપાલિકાઓ ની ચુંટણી શરુ થઇ ગઈ છે. ફરી બધી પાર્ટીઓ નવા નવા વચનોની લહાણી કરી રહી છે. ક્યારેક વિચાર આવે છે જો આ લોકો જે કહે છે એનું ૫૦% પણ અમલમાં મુકે તો વાહ વાહ થઇ જાય. 

સવારે FM પર કોંગ્રેસ પાર્ટી ની જાહેરાત આવતી હતી, 

૧. મુંબઈ ને વિશ્વ કક્ષાનું શહેર બનાવવામાં આવશે.
૨. મુંબઈ માં ૨૪ કલાક શુધ્ધ પાણી આપવામાં આવશે
૩. ચોમાસામાં એક પણ ખાડો નહિ દેખાય. ( હાડકાના ડોકટરોનું આવી બન્યું)
૪. મહાનગર પાલિકા સંપૂર્ણ ભ્રષ્ટાચાર રહિત હશે. 

આટલીજ યાદ રહી, થયુકે આટલુંયે થઇ જાય તો એ ભયો ભયો.

સોલ્લીડ પંચ:

શરદ પવાર મુંબઈ ને શાંઘાઈ બનાવવાના હતા હવે કોંગ્રેસ મુંબઈને વિશ્વકક્ષાનું શહેર બનાવશે, આ લોકો આપણને નથી બનાવતા લાગતા?


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો